ઈસુએ લોકોને કહ્યું કે મૂસાના આસન પરથી શાસ્ત્રીઓ અને ફરોશીઓએ શીખવેલું કરો તથા પાળો [૨૩:૨-૩]
ઈસુએ કહ્યું કે તેમણે તેમના કાર્યનું અનુકરણ ના કરવું જોઈએ કેમ કે તેઓ કહે છે પણ પછી તેઓ તે કરતા નથી [૨૩:૩]
ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેમના કાર્યો લોકોને બતાવવા કરતા હતા [૨૩:૫]
ઈસુએ કહ્યું કે આપણો એક પિતા તે છે જે સ્વર્ગમાં છે અને આપણો શિક્ષક ખ્રિસ્ત છે [૨૩:૮-૧૦]
ઈશ્વર જે પોતાને ઉંચો કરે છે તેને નીચો અને જે પોતાને નીચો કરે છે તેને ઉંચો કરશે [૨૩:૧૨]
જયારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ નવો શિષ્ય બનાવે છે ત્યારે તેઓ તેને બમણો નરકનો દીકરો બનાવે છે [૨૩:૧૫]
ઇસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઢોંગી કહેતા હતા [૨૩:૧૩-૧૫,૨૩,૨૫,૨૭,૨૯]
ઈસુએ કહ્યું કે શાસ્ત્રીઓ અને ફરોસીઓ આંધળા દોરનારા અને આંધળા મૂર્ખ છે [૨૩:૧૬-૧૯]
શાસ્ત્રની ભારે વાતો -ન્યાયીકરણ, વિશ્વાસ અને દયા કરવામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ નિષ્ફળ હતા [૨૩:૨૩]
શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી વાટકા સાફ રાખતા હોવાથી તેમના વાટકા અંદરથી સાફ કરવામાં નિષ્ફળ હતા [૨૩:૨૫-૨૬]
શાસ્ત્રીઓ અને ફરોશીઓ અંદર જુલમ, અન્યાય, ઢોંગ અને દુષ્ટતાથી ભરેલા હતા [૨૩:૨૫-૨૮]
શાસ્ત્રીઓ અને ફરોશીઓના પિતાઓએ ઈશ્વરના પ્રબોધકોને મારી નાંખ્યા હતા [૨૩:૨૯-૩૧]
શાસ્ત્રીઓ અને ફરોશીઓને નરકના ન્યાયનો સામનો કરવો પડશે [૨૩:૩૩]
ઈસુએ કહ્યું કે તેઓ તેમને મારી નાખશે, ઘણાને વધસ્તંભે જળાવશે અને ઘણાને કોરડા મારશે અને નગરે નગર તેમની પાછળ લાગશો [૨૩:૩૪]
પૃથ્વી પર ન્યાયીઓનું લોહી વહેવડાવાનો અપરાધ તેમના પર આવશે [૨૩:૩૫]
આ બધું આ પેઢીને થશે એવું ઈસુએ કહ્યું [૨૩:૩૬]
ઈસુએ યરુશાલેમના છોકરાઓને એકઠાં કરવાનું ચાહ્યું પણ તેમણે ચાહ્યું નહિ [૨૩:૩૭]
યરુશાલેમનું ઘર હવે ઉજ્જડ મુકાશે [૨૩:૩૮]