Introduction to translationAcademy

અનુવાદ અકાદમીનો પરિચય

This section answers the following question: અનુવાદની શિક્ષણ સંસ્થા શું છે?

અનુવાદઅકાદમીમાં આપનું સ્વાગત છે.

“અનુવાદઅકાદમી” નો હેતુ કોઇપણને સક્ષમ, ક્યાંયપણ પોતાની જાતને સજ્જ કરવાનો છે જેથી તેઓ બાઈબલની સામગ્રીના ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદોને તેઓ પોતાની ભાષામાં કરી શકે છે. તેનો ઉપયોગ વ્યવસ્થિત, અગાઉથી અભિગમમાં લેવાય છે અથવા તે માત્ર સમયના શિક્ષણ માટે લઈ શકાય છે (અથવા બંને, જેમ જરૂર લાગે). તે માળખાંમાં અલ્પમાત્રામાં છે.

અનુવાદઅકાદમી નીચેના વિભાગોનો સમાવેશ કરે છે:

*પ્રસ્તાવના - તે અનુવાદઅકાદમીનો અને યોજનાનો પરિચય આપે છે.
*પ્રક્રિયા પુસ્તિકા - પ્રશ્નના જવાબો “પછી શું?” *અનુવાદ પુસ્તિકા - અનુવાદ સિદ્ધાંતની મૂળભૂત વાતો અને વ્યવહારુ અનુવાદમાં સમજવામાં મદદ કરે છે.
*તપાસ પુસ્તિકા - તપાસના મૂળભૂત સિદ્ધાંત અને ઉત્તમ વ્યવહાર સમજાવે છે.


આપણે બાઈબલનો અનુવાદ શા માટે કરીએ છીએ

This section answers the following question: આપણે બાઈબલ શા માટે અનુવાદ કરીએ છીએ?

અનુવાદ અકાદમીનો હેતુ તમને બાઈબલ અનુવાદક બનવા માટે તાલીમ આપવાનું છે. ઈસુનાં અનુયાયી તરીકે તમે વૃદ્ધિ પામો તે માટે મદદ કરવા માટે તમારી ભાષામાં ઈશ્વરના વચનનું અનુવાદ કરવું તે મહત્વનું કાર્ય છે. તમે આ કાર્ય માટે સમર્પિત હોવ તે આવશ્યક છે, તમારી જવાબદારીને ગંભીરતાથી લો, અને ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને મદદ કરે.

ઈશ્વરે બાઈબલમાં આપણી સાથે વાત કરી છે. તેમણે બાઈબલનાં લેખકોને હિબ્રુ, અરામિક અને ગ્રીક ભાષાઓનો ઉપયોગ કરીને તેમના શબ્દો લખવાની પ્રેરણા આપી. ઈ.સ.પૂર્વે ૧૪૦૦ થી ઈ.સ. ૧૦૦ સુધીમાં લગભગ ૪૦ જુદાં-જુદાં લેખકો લિખિત છે. આ દસ્તાવેજોને મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને યુરોપમાં લખવામાં આવ્યા હતાં. આ વચનોને તે ભાષાઓમાં નોંધવાથી, ઈશ્વર ખાતરી કરે છે કે તે સમયના અને સ્થળના લોકો તે સમજી શકે.

આજે, તમારા દેશના લોકો હિબ્રુ, અરામિક અને ગ્રીક સમજતાં નથી. પરંતુ તેઓની ભાષામાં ઈશ્વરના વચનોનુ અનુવાદ કરવાથી તેઓ તે સમજી શકે છે.

કોઈની "માતૃભાષા” અથવા “હૃદયની ભાષા” એટલે કે તે ભાષા જે તેઓ બાળક હતા ત્યારે બોલતા હોય અને તે કે જે તેઓ ઘરે ઉપયોગ કરતાં હોય. આ તે ભાષા છે જેમાં તેઓ સૌથી વધુ આરામદાયક છે અને જેનો તેઓ તેમના સૌથી ઊંડા વિચારો વ્યક્ત કરવા માટે ઉપયોગ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના હૃદયની ભાષામાં ઈશ્વરના વચન વાંચી શકે.

દરેક ભાષા મહત્વની અને મૂલ્યવાન છે. નાની ભાષાઓ પણ તેટલી જ મહત્વની છે જેટલી કે તમારા દેશમાં બોલવામાં આવતી રાષ્ટ્રીય ભાષાઓ મહત્વની છે, અને તેઓ પણ તે જ અર્થ અભિવ્યક્ત કરી શકે છે. કોઈને પણ તેમની બોલી બોલવામાં શરમ ન આવવી જોઈએ. ક્યારેક, જેઓ લઘુમતી જૂથના હોય છે તેઓને પોતાની ભાષાને લીધે શરમ લાગે છે અને તેમના દેશના અન્ય મોટા જૂથના લોકોની સામે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતાં નથી. પરંતુ રાષ્ટ્રીય ભાષાઓ વિષે સ્થાનિક ભાષાઓ કરતાં સ્વાભાવિક રીતે કંઈ વધુ મહત્વની, વધુ પ્રતિષ્ઠિત, અથવા વધુ શિક્ષિત બીજું કંઈ નથી. દરેક ભાષામાં ઘોંઘાટ અને રંગોનો અર્થ રહેલો હોય છે જે અનન્ય છે. આપણે જે ભાષામાં સૌથી વધુ આરામદાયક અને અન્ય લોકો સાથે ઉત્તમ રીતે વાતચીત કરી શકીએ તે ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.

  • શાખ: “બાઈબલ અનુવાદ સિદ્ધાંત અને પ્રથા” જે ટોડ પ્રાઈસ, Ph.D. CC BY-SA 4.0* દ્વારા લિખિત, માંથી લેવામાં આવેલ છે.

પ્રગટ કરવાના શબ્દ કાર્યક્રમ

This section answers the following question: પ્રગટ કરનાર શબ્દની યોજના શું છે?

બાઈબલને ખુલ્લું મૂકવાનું કાર્ય એટલા માટે અસ્તિત્વમાં આવ્યુ છે કારણ કે અમે “બાઈબલની સામગ્રીને દરેક ભાષામાં અપ્રતીબંધિત” જોવા માગીએ છીએ.

ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા આપી કે દરેક જૂથના લોકોને શિષ્યો બનાવો:

”ઈસુ તેઓની પાસે આવ્યા અને કહ્યું કે, “સ્વર્ગ અને પૃથ્વી પરનો તમામ અધિકાર મને આપવામાં આવ્યો છે. તેથી જાઓ અને સર્વ દેશનાઓને શિષ્યો બનાવો. અને તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસમા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તેઓને પાળવાનું શીખવતા જાઓ. અને જુઓ, દુનિયાના અંત સુધી, હું તમારી સાથે છું.” (માથ્થી ૨૮:૧૮-૨૦ ULB)

આપણને તે વચન આપવામાં આવ્યું છે કે દરેક ભાષા બોલનાર લોકો સ્વર્ગમાં હશે.

”આ બિનાઓ પછી મેં જોયું કે, અને જુઓ, દરેક દેશ, દરેક કુળ, સર્વ લોકો તથા ભાષાના, કોઈ ગણી શકે નહિ એટલું મોટું ટોળું, ત્યાં રાજ્યાસન આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા.” (પ્રકટીકરણ ૭:૯ ULB)

ઈશ્વરના વચનને પોતાના હૃદયની ભાષામાં સમજવું તે મહત્વનુ છે:

”તે પ્રમાણે સાંભળવાતી વિશ્વાસ આવે છે, અને ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.” (રોમનોને પત્ર ૧૦:૧૭ ULB)

આપણે આ કેવી રીતે કરી શકીએ છીએ?

આપણે કેવી રીતે “બાઈબલની સામગ્રીને દરેક ભાષામાં અપ્રતીબંધિત” લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ?

*વચનને ખુલ્લું કરવાનું કાર્ય - અન્ય સમાન વિચારો વાળી સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા.

આપણે શું કરી શકીએ?

  • સામગ્રી અમે અનુવાદ કરીને અને તેને મફત તથા અપ્રતિબંધિત બાઈબલ સામગ્રીને ઉપલબ્ધ કરાવીએ છીએ. સ્રોતો અને અનુવાદોની સંપૂર્ણ સૂચી માટે જુઓ http://ufw.io/content/ અહીં કેટલાક નમૂનાઓ છે:
    • બાઈબલની વાર્તાઓ ખોલો - કાળક્રમાનુસાર નાના-બાઈબલની ૫૦ મુખ્ય વાર્તાઓ, ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી, સુવાર્તાપ્રચાર અને શિષ્યપણા માટે, છાપીને, અવાજમાં, અને વિડીઓમાં (જુઓ http://ufw.io/stories/).
    • બાઈબલ એક માત્ર પ્રેરિત, પ્રામાણિક, પર્યાપ્ત, અધિકૃત ઈશ્વરના વચનને અપ્રતીબંધિત અનુવાદને માટે ખુલ્લી પરવાનગી સાથે, ઉપયોગ અને વહેંચણી માટે (જુઓ http://ufw.io/bible/)
    • અનુવાદની નોંધો - ભાષાકીય, સાંસ્કૃતિક, અને વિવરણાત્મક રીતે અનુવાદકોને મદદ કરે છે. તેઓ બાઈબલની ખુલ્લી વાર્તાઓ તથા બાઈબલ માટે અસ્તિત્વમાં છે (જુઓ http://ufw.io/tn/).
    • અનુવાદના પ્રશ્નો - અનુવાદ યોગ્ય રીતે સમજી શકાય છે કે નહિ તે માટે, લખાણના દરેક ભાગ માટેના પ્રશ્નો કે જે અનુવાદકો અને તપાસકારો પૂછી શકે છે. બાઈબલની ખુલ્લી વાર્તાઓ તથા બાઈબલને માટે ઉપલબ્ધ છે (જુઓ http://ufw.io/tq/).

વિશ્વાસનું નિવેદન

This section answers the following question: આપણે શું માનીએ છીએ?

  • આ દસ્તાવેજનુ અધિકૃત સંસ્કરણ અહીં http://ufw.io/faith/ જોવા મળે છે.

  • unfoldingWord યોજનાના તમામ સભ્ય સંગઠનો અને યોગદાન આપનારાઓ દ્વારા વિશ્વાસનુ નિવેદન નીચે મુજબ કરેલ છે. તે ઐતિહાસિક વિશ્વાસનામા સાથેનો કરાર છે: [પ્રેરીતોનું વિશ્વાસનામું], [નાઈસિયન વિશ્વાસનામું], અને [એથેન્સના લોકોનુ વિશ્વાસનામું]; અને [લાઉસન કરાર] ((http://www.lausanne.org/en/documents/lausanne-covenant.html).

અમે માનીએ છીએ કે ખ્રિસ્તી માન્યતા અનિવાર્ય માન્યતા અને પરિઘ માન્યતા એમ વહેચી શકાય છે (રોમનો ૧૪).

અનિવાર્ય માન્યતાઓ

અનિવાર્ય માન્યતાઓ એ છે કે જે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને વ્યાખ્યાયિત કરે છે અને જેને ક્યારેય સમાધાન અથવા અવગણવામાં નહિ આવે.

  • અમે માનીએ છીએ કે બાઈબલ માત્ર એક પ્રેરિત, સત્ય, પર્યાપ્ત, અધિકૃત ઈશ્વરનુ વચન છે. (૧ થેસ્સાલોનિકી ૨:૧૩; ૨ તિમોથી ૩:૧૬-૧૭).

  • અમે માનીએ છીએ કે એક જ ઈશ્વર છે જે અનંતકાળ માટે ત્રણ વ્યક્તિત્વ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઈશ્વર પિતા, પુત્ર ઈસુ ખ્રિસ્ત, અને પવિત્ર આત્મા (માથ્થી ૨૮:૧૯; યોહન ૧૦:૩૦).

  • ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વર છે તે અમે વિશ્વાસ કરીએ છીએ. (યોહાન ૧:૧-૪; ફીલીપ્પી ૨:૫-૧૧; ૨ પિતર ૧:૧).

  • અમે ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વમાં, કુંવારી દ્વારા તેમનો જન્મમાં, તેમના પાપ રહિત જીવનમાં, તેમના ચમત્કારોમાં, તેમના નિયુક્ત અંડ પ્રાયશ્ચિત વાળા વહેતા રક્તમાં, તેમના શારીરિક મરણોત્થાનમાં, અને પિતાના જમણા હાથમાં તેમના સ્વર્ગારોહણમાં અમે વિશ્વાસ કરીએ છીએ (માથ્થી ૧:૧૮,૨૫; ૧ કરીંથી ૧૫:૧-૮; હિબ્રુ ૪:૧૫; પ્રેરીતોના કૃત્યો ૧:૯-૧૧, ૨:૨૨-૨૪).

  • અમે માનીએ છીએ કે દરેક મનુષ્ય સ્વભાવે પાપી છે અને તે અનંતકાળ માટેના નર્કને લાયક છે (રોમન ૩:૨૩; યશાયા ૬૪:૬-૭).

  • અમે માનીએ છીએ કે તારણ ઈશ્વર તરફથી ભેટ છે, જે ઈસુ ખ્રિસ્તના મૃત્યુના બલિદાન અને મરણોત્થાન દ્વારા આપવામાં આવી છે, જેને કૃપાથી વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, કર્મ દ્વારા નહિ (યોહાન ૩:૧૬, ૧૪:૬; એફેસી ૨:૮-૯; તિતસ ૩:૩-૭).

  • અમે માનીએ છીએ કે સાચો વિશ્વાસ પશ્ચાતાપ સાથે અને પવિત્ર આત્માના નવજીવન દ્વારા આવે છે (યાકૂબ ૨:૧૪-૨૬; યોહાન ૧૬:૫-૧૬; રોમન ૮:૯).

  • અમે માનીએ છીએ પવિત્ર આત્માની વર્તમાન સેવા દ્વારા જેઓ ખ્રિસ્ત ઈસુના અનુસરનારા છે તેઓને ઈશ્વરીય જીવન જીવવા સક્ષમ કરે છે (યોહાન ૧૪:૧૫-૨૬; એફેસી ૨:૧૦; ગલાતી ૫:૧૬-૧૮).

  • અમે દરેક દેશ અને ભાષાઓ અને લોકોના જૂથોમાંથી, સર્વ વિશ્વાસીઓની પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આત્મિક એકતામાં વિશ્વાસ કરીએ છીએ (ફીલીપ્પી ૨:૧-૪; એફેસી ૧:૨૨-૨૩; ૧ કરીંથી ૧૨:૧૨,૨૭).

  • અમે ઈસુ ખ્રિસ્તના વ્યક્તિગત અને શારીરિક રીતે પાછા આવવામાં વિશ્વાસ કરીએ છીએ (માથ્થી ૨૪:૩૦; પ્રેરીતોના કૃત્યો ૧:૧૦-૧૧).

  • અમે બંને તારણ પામેલા અને ખોવાયેલાના મરણોત્થાનમાં, તારણ નહિ પામેલાઓને અનંતકાળિક નર્કના તિરસ્કાર માટે મરણોત્થાનમાં અને તારણ પામેલાઓને ઈશ્વર સાથે અનંતકાળિક આશીર્વાદ માટે મરણોત્થાનમાં વિશ્વાસ કરીએ છીએ (હિબ્રુ ૯:૨૭-૨૮; માથ્થી ૧૬:૨૭; યોહાન ૧૪:૧-૩; માથ્થી ૨૫:૩૧-૪૬).

પરિઘ (સીમાને લગતી) માન્યતાઓ

પરિઘ માન્યતાઓ તે બધું જ છે જે વચનમાં છે પરંતુ ખ્રિસ્તના નિષ્ઠાવાન અનુયાયીઓ તેની સાથે સહમત થઈ શકે છે. અમે આ વિષયો પર સહમતીથી સહમત થવામાં અસહમત થવું પસંદ કરીએ છીએ અને દરેક જૂથના લોકોને શિષ્યો બનાવવાના સમાન ધ્યેયથી આગળ વધી રહ્યા છીએ (માથ્થી૨૮:૧૮-૨૦).


અનુવાદ માર્ગદર્શિકા

This section answers the following question: કયા સિધ્ધાંતોથી આપણે અનુવાદ કરીએ છીએ?

  • આ દસ્તાવેજનુ સત્તાવાર સંસ્કરણ http://ufw.io/guidelines/ પર જોવા મળે છે.

અનુવાદમાં વપરાતા સિદ્ધાંતો અને પ્રક્રિયા પર નીચેનું નિવેદન UnfoldingWord યોજનાના તમામ સભ્ય સંગઠનો અને સહયોગીઓ દ્વારા ફાળો આપવામાં આવેલ છે (જુઓ https://unfoldingword.org). અનુવાદની તમામ કાર્યપ્રવૃત્તિઓ આ સામાન્ય માર્ગદર્શિકા અનુસાર હાથ ધરવામાં આવે છે.

૧. સચોટ - મૂળ લખાણના અર્થને તોડ્યા વગર, બદલવા, અથવા ઉમેરવા માટે સચોટ રીતે અનુવાદ કરો, અનુવાદિત સામગ્રીને વિશ્વાસુપણે મૂળ લખાણનો અર્થ શક્ય તેટલો સચોટ કરવો જોઈએ કેમ કે તે મૂળ પ્રેક્ષકો દ્વારા સમજી ગયેલ હશે. (જુઓ સચોટ અનુવાદ કરો) ૧. સ્પષ્ટ - નો ઉચ્ચત્તમ સ્તર પ્રાપ્ત કરવા માટે જરૂરી તેવા ભાષાકીય માળખાનો ઉપયોગ કરો. અહીંયા શક્ય તેટલું સ્પષ્ટ રીતે મૂળ અર્થના સંદેશાવ્યવહાર માટે લખાણના સ્વરૂપને પુનઃ ગોઠવવું પણ સામેલ છે અને જરૂરી તેટલા વધુ અથવા થોડા શબ્દોનો ઉપયોગ કરવો.
૧. કુદરતી - ભાષા સ્વરૂપોનો ઉપયોગ કરો જે અસરકારક છે અને જે તમારી ભાષાને અનુરૂપ સંદર્ભનાં ઉપયોગમાં લેવાય છે તે રીતે પ્રતિબિંબિત કરે છે. (જુઓ કુદરતી અનુવાદ કરો) ૧. વિશ્વાસુ - તમારા અનુવાદમાં કોઈ પણ રાજકીય, સાંપ્રદાયિક, વૈચારિક, સામાજીક, સાંસ્કૃતિક, અથવા ધાર્મિક પૂર્વગ્રહને ટાળો. મુખ્ય શબ્દોનો ઉપયોગ કરો કે જે મૂળ બાઈબલની ભાષાઓના શબ્દભંડોળ માટે વિશ્વાસુ છે. બાઈબલના શબ્દો માટે સમકક્ષ સામાન્ય ભાષાના શબ્દોનો ઉપયોગ કરો, જે પિતા અને ઈશ્વર પુત્ર વચ્ચેનો સંબંધ વર્ણવે છે. જેમ નીચેની નોંધો અથવા અન્ય પૂરક સ્રોતોમાં, આવશ્યકતા મુજબ આ સ્પષ્ટ કરી શકાય છે. (જુઓ વિશ્વાસુ અનુવાદ કરો) ૧. અધિકૃત બાઈબલની સામગ્રીના અનુવાદ માટે બાઈબલના મૂળ લખાણોનો સર્વોચ્ચ સત્તા તરીકે ઉપયોગ કરો. અન્ય ભાષાઓમાં વિશ્વસનીય બાઈબલને લગતી સામગ્રીનો ઉપયોગ સ્પષ્ટીકરણ માટે અને મધ્યસ્થ સ્રોત લખાણ તરીકે થઈ શકે છે. (જુઓ અધિકૃત અનુવાદ કરો) ૧. ઐતિહાસિક ઐતિહાસિક ઘટનાઓ અને સત્યોને સચોટ રીતે રજુ કરો, મૂળ સામગ્રીના મૂળ પ્રાપ્તિકર્તા તરીકે સમાન સંદર્ભ અને સંસ્કૃતિની વહેંચણી કરતાં લોકો માટે જરૂરી વધારાની માહિતી આપવી. (જુઓ ઐતિહાસિક અનુવાદ કરો) ૧. સમાન - લાગણીઓ અને વલણની અભિવ્યક્તિઓને સામેલ કરીને, સ્રોત લખાણ તરીકે સમાન ઉદેશ્યને રજુ કરો. શક્ય તેટલું વધુ, મૂળ લખાણમાં વિવિધ પ્રકારનાં સાહિત્યને જાળવી રાખો, જેમ કે વાર્તાઓ, કવિતા, પ્રોત્સાહન, અને ભવિષ્યવાણી, તે તમારી ભાષામાં સમાન રીતે સંદેશાવ્યવહાર અથવા અનુરૂપ સ્વરૂપે રજૂ કરો. (જુઓ સમાન અનુવાદ કરો)

અનુવાદની ગુણવત્તાને ઓળખીને તેને જાળવી રાખો.

અનુવાદની ગુણવત્તા સામાન્ય રીતે મૂળ અર્થમાં ભાષાંતરના વિશ્વાસુપણાને દર્શાવે છે, અને પ્રાપ્ય ભાષાનાં બોલનારાઓ માટે તે અનુવાદનું સ્તર સમજણ માટે અને કેટલું અસરકારક છે તે જોઈ શકાય છે. અમે જે વ્યૂહરચના સૂચિત કરીએ છીએ તે ભાષા સમુદાય સાથે અનુવાદના સ્વરૂપો અને વાતચીતની ગુણવત્તા તપાસવાનો સમાવેશ થાય છે, અને તે લોકો જૂથમાં મંડળી સાથે ભાષાંતરનું વિશ્વાસુપણું તપાસે છે.

અનુવાદ યોજનાની ભાષા અને સંદર્ભના આધારે સામેલ ચોક્કસ પગલાં નોંધપાત્ર રીતે બદલાય છે. સામાન્ય રીતે, અમે તે અનુવાદને સારું માનીએ છીએ કે જેની સમીક્ષા ભાષા સમુદાયના બોલનાર દ્વારા ભાષા જૂથમાં થઈ હોય તથા મંડળીના આગેવનો દ્વારા, કે જેથી:

૧. સચોટ, સ્પષ્ટ, કુદરતી અને સમાન - મૂળના અર્થપૂર્ણને વિશ્વાસુ હોવું, જેમ કે લોકોના જૂથમાં મંડળી દ્વારા નક્કી કરવામાં આવે છે અને વૈશ્વિક તથા ઐતિહાસિક મંડળીની સાથે ગોઠવણીમાં અને પરિણામમાં.
૧. મંડળી દ્વારા સમર્થિત - મંડળી દ્વારા ઉપયોગ અને સમર્થન (જુઓ મંડળી દ્વારા મંજૂર થયેલ અનુવાદ કરો

અમે તે પણ ભલામણ કરીએ છીએ કે અનુવાદ:

૧. સહયોગી - અનુવાદ કરતાં સમયે, જો શક્ય હોય તો અન્ય વિશ્વાસુઓ કે જેઓ તમારી ભાષા બોલે છે તેઓની સાથે કાર્ય કરો, તપાસો, અને અનુવાદિત સામગ્રીને ખાતરીપૂર્વક વહેંચો કે, તે સર્વોચ્ચ ગુ ણવત્તા વાળું અનુવાદ છે અને શક્ય તેટલા વધુમાં વધુ લોકો સુધી પહોચી શકશે.
૧. ચાલતું - અનુવાદનુ કાર્ય તે ક્યારેય સંપૂર્ણ રીતે પૂરું થતું નથી. જેઓ ભાષામાં કુશળતા ધરાવતા હોય તેઓને પ્રોત્સાહન આપો કે જ્યારે તેઓ જુએ કે વસ્તુઓને વધુ સારી રીતે કહી શકાય છે અને સુધારો પણ કરી શકાય છે. અનુવાદમાં જો કોઈ ખામી હોય તો તે જાણ થતાંની સાથેજ તેને સુધારવામાં આવશે. પુનરાવર્તન અથવા નવા અનુવાદની આવશ્યકતા હોય ત્યારે ચકાસવા માટે અનુવાદોની સામાયિક સમીક્ષાને પ્રોત્સાહન આપો. અમે ભલામણ કરીએ છીએ કે દરેક ભાષા સમુદાય આ ચાલી રહેલ કાર્યની દેખરેખ માટે અનુવાદ સમિતિની રચના કરે. UnfoldingWordના સાધનોનો ઓનલાઈન ઉપયોગ કરીને, અનુવાદમાં આ ફેરફારો ખૂબ જ ઝડપથી અને સહેલાઈથી કરી શકાય છે. (જુ સતત ચાલતું અનુવાદ કરો)


ખુલ્લો પરવાનો

This section answers the following question: વપરાશકર્તાને પ્રગટ કરનાર શબ્દના વિષયમાં કયા પ્રકારની સ્વતંત્રતા છે?

સ્વતંત્રતા માટેની પરવાનગી

પ્રાપ્ત કરવા અનિયંત્રિત બાઈબલ સામગ્રી દરેક ભાષામાં, એક પરવાનગીની જરૂર હોય છે કે જેથી વૈશ્વિક મંડળીને “અનિયંત્રિત” પ્રવેશ મળી શકે. અમે માનીએ છીએ કે આ ચળવળ રોકવી મુશ્કેલ બની જશે જ્યારે મંડળી પાસે અનિયંત્રિત પ્રવેશ હશે. સર્જનાત્મક સામાન્ય ગુણ-જેવોભાગ ૪.૦ આંતરરાષ્ટ્રીય પરવાનગી બાઈબલ સામગ્રીનું અનુવાદ કરવા તથા વહેચવા માટેના જરૂરી હક્કોની પરવાનગી આપે છે અને ખાતરી આપે છે કે તે સામગ્રી ખુલ્લી રહેશે. સિવાય કે જ્યાં સુધી નોંધ્યું છે ત્યાં સુધી, આપણી તમામ સામગ્રીની પરવાનગી CC BY-SA છે.

સર્જનાત્મક સામાન્ય ગુણ-જેવોભાગ ૪.૦ આંતરરાષ્ટ્રીય (CC BY-SA ૪.૦)

આ વ્યક્તિ વાંચી શકે તેના સારાંશને (અને તેનો પર્યાય નહિ) પરવાનગી.

તમે આ કરવા સ્વતંત્ર છો:

  • વહેચણી - તમે આ સામગ્રીની નકલ કરી અને ફરીથી કોઈ પણ માધ્યમ અથવા સ્વરૂપમાં વહેંચી શકો છો
  • સ્વીકારવાનું ફરીથી ભેગું કરો, પુનરાવર્તિત કરો અને સામગ્રી ઉપર બાંધો.

કોઈ પણ હેતુસર, વ્યવસાયિક પણ.

જ્યાં સુધી તમે પરવાનગીની શરતોનું પાલન કરો છો ત્યાં સુધી તેની સ્વતંત્રતાની પરવાનગી આપનાર રદ કરી શકશે નહિ.

નીચેની શરતોને આધીન:

  • **તમારે યોગ્ય શાખ આપવી જોઈએ, પરવાનગીની કડી પ્રદાન કરો, અને જો ફેરફારો કરવામાં આવે તો તે સૂચવો. તમે કોઈ પણ વાજબી રીતે તે કરી શકો છો, પરંતુ તે રીતે કે જે સૂચવે છે કે પરવાનગી લેનાર તમને અથવા તમારા ઉપયોગને સમર્થન આપે છે.
  • જેવોભાગ - જો તમે ભેગું કરો, બદલો, અથવા સામગ્રી ઉપરથી કઈ બાંધો, તો એજ સમાન પરવાનગી હેઠળ તમારે તામારા યોગદાનને વિતરણ કરવું જોઈએ.

કોઈ વધારાના પ્રતિબંધો નહિ - તમે કોઈ કાનૂની શરતો અથવા તકનીકી પગલાં લાગુ કરી શકતા નથી કે જે કાયદેસર રીતે અન્યને ઉપયોગ કરવાની પરવાનગી આપતું હોય.

સૂચનો

તમારે જાહેર વ્યવહારમાં સામગ્રીના ઘટકો માટે પરવાનગીનું પાલન કરવાની આવશ્યકતા નથી અથવા જ્યાં તમારા ઉપયોગને લાગુ પડતા અપવાદ અથવા મર્યાદા દ્વારા પરવાનગી છે.

કોઈ બાંયધરી આપેલ નથી. પરવાનગી આપના હેતુપૂર્વકના ઉપયોગ માટે જરૂરી બધી જ અનુમતિ આપી શકશે નહિ. ઉદાહરણ તરીકે, અન્ય હક્કો જેવા કે પ્રચાર, ગોપનીયતા, અથવા નૈતિક અધિકારો તમે સામગ્રીને કેવી રીતે ઉપયોગ કરો છો તેમાં તમને માર્યાદિત કરે છે.

કોઈ મૂળ શબ્દના કાર્યો માટે સૂચવેલ ગુણ માટેનું નિવેદન: “Door43 વૈશ્વિક મિશન સમાજ દ્વારા બનાવવામાં આવેલું મૂળ કામ, અહીંયા http://door43.org/ ઉપલબ્ધ છે, અને તેને સર્જનાત્મક સામાન્ય અધિકાર ShareALike ૪.૦ આંતરરાષ્ટ્રીય પરવાનગી હેઠળ રજૂ કરવામાં આવે છે (http://creativecommons.org/licenses/by-sa/4.0/ ). આ કાર્ય મૂળથી બદલવામાં આવ્યું છે, અને મૂળ લેખકોએ આ કાર્યને સમર્થન આપ્યું નથી.”

Door43માં ફાળો આપનારાઓના અધિકારો

જ્યારે કોઈ Door43માં આયાત કરતી વખતે, મૂળ કાર્યને ખુલ્લી પરવાનગી દ્વારા નિર્દિષ્ટ કરવું જોઈએ જે હેઠળ તે ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, ખુલ્લી બાઈબલ વાર્તાઓમાં ઉપયોગમાં લેવાતી આર્ટકાર્યની યોજના પર સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે. [મુખ્ય પાન] (http://openbiblestories.com).

Door43 યોજનામાં ફાળો આપનારઓ સહમત થાય છે કે ગુણો જે દરેક પૃષ્ઠના પુનરાવર્તન ઈતિહાસમાં આપમેળે થાય છે તેમના કાર્ય માટે પૂરતા ગુણ છે. તે, Door43માં દરેક ફાળો આપનારને સૂચીમાં “Door43 વૈશ્વિક મિશન સમાજ” અથવા તે અસર માટે કંઈક. દરેક ફાળો આપનારનું યોગદાન તે કાર્ય માટે પુનરાવર્તન ઈતિહાસમાં સાચવેલ છે.

સ્રોત લખાણ

સ્રોત લખાણનો ઉપયોગ તેઓ કરી શકે છે જો તેઓની પાસે નીચેમાંથી કોઈ પરવાનગી હોય તો:

વધુ માહિતી માટે જુઓ કોપીરાઇટ, પરવાનગી અને સ્રોત લખાણો


પ્રવેશદ્વાર ભાષાઓની વ્યૂહરચના

This section answers the following question: બધીજ ભાષાઓને કેવી રીતે પહોંચી શકાય?

*આ દસ્તાવેજનું સત્તાવાર સંસ્કરણ http://ufw.io/gl/ પર જોવા મળે છે.

સમજૂતી

મુખ્ય દ્વાર ભાષા વ્યૂહરચનાનો ઉદ્દેશ ૧૦૦% લોકોના જૂથોને સજ્જ કરવાનો છે, જે વૈશ્વિક મંડળી સાથે બાઈબલ સામગ્રીને સમાવેશ કરે છે, જે કૉપિરાઇટ પ્રતિબંધોમાંથી મુક્ત થાય છે અને તે ભાષામાં ઉપલબ્ધ છે, જે તેને અનિયંત્રિત અનુવાદ સાથે સારી રીતે સમજી શકે છે (વ્યાપક સંવાદની ભાષા) તાલીમ અને સાધનો જે તેમને તે ભાષામાં અનુવાદ કરવા માટે સક્ષમ કરે છે જે તેઓ સંપૂર્ણ રીતે સમજે છે (તેમની પોતાની ભાષા). એ " મુખ્ય દ્વાર ભાષા" એ વ્યાપક સંચારની ભાષા છે જેના દ્વારા તે ભાષામાંથી બીજી ભાષાના લોકો સામગ્રીની મેળવી શકે છે અને તેને પોતાની ભાષામાં અનુવાદિત કરી શકે છે.

વિશ્વ સ્તરે "મુખ્ય દ્વાર ભાષાઓ" એ ભાષાઓની સૌથી નાની સંખ્યાઓનો સમાવેશ કરે છે, જેના દ્વારા દ્વિભાષી બોલનારાઓ મારફતે ભાષાંતર દ્વારા સામગ્રીને દરેક અન્ય ભાષામાં વિતરિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, ફ્રેંચ એક મુખ્ય દ્વાર ભાષા છે જેમાં ફ્રેંકોફોન આફ્રિકામાં બીજી નાની ભાષાઓ આવેલી છે જેમાં સામગ્રી પ્રાપ્ય છે જે ફ્રેંચ દ્વિભાષી બોલનારાઓ ફ્રેંચમાં તેઓની ભાષાઓમાં અનવાદ કરી શકે છે.

દેશ સ્તર પર, આપેલ દેશની મુખ્ય દ્વાર ભાષાઓ,બોલનારાઓ માટે જરૂરી વ્યાપક સંચારની સૌથી ઓછી ભાષાઓ છે (પરદેશગમનને કારણે ત્યાં સ્થિત નથી) જે સામગ્રી સુધી પહોચી શકે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર કોરિયા માટે અંગ્રેજી મુખ્ય દ્વાર ભાષા છે, આપેલ છે કે ઉત્તર કોરિયાના તમામ લોક જૂથોમાં અંગ્રેજી ભાષામાંથી અનુવાદ દ્વારા તેમની ભાષામાં સામગ્રી પહોચી શકે છે.

અસરો

આ પદ્ધતિમાં બે મૂળભૂત અસરો છે: પ્રથમ, તે સામગ્રીને દરેક ભાષાઓને તેમની “ખેચવા” માટે સમર્થ બનાવે છે અને વિશ્વની દરેક ભાષામાં પ્રવેશ ઉપલબ્ધ કરાવવા માટે ભાષામાં "ધક્કો મારવામાં" મદદ કરે છે. દ્વિતીય, તે અનુવાદની સંખ્યાને માર્યાદિત કરે છે જેને અનુવાદ દ્વારા માત્ર મુખ્ય દ્વાર ભાષામાં અનુવાદ કરવું જરૂરી છે. બીજી અન્ય ભાષાઓ માત્ર બાઈબલની સામગ્રીનું અનુવાદ કરી શકે છે, કારણ કે અનુવાદને સમજવા માટે કોઈ ભાષા તેમના પર નિર્ભર રહેશે નહીં.


ઉત્તરોની શોધ કરવી

This section answers the following question: મારા પ્રશ્નોના જવાબો મને ક્યાં મળી શકે?

જવાબ કેવી રીતે મેળવવો

પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઘણા બધા મધ્યમો પ્રાપ્ય છે.

  • અનુવાદ શાળા - આ તાલીમ પુસ્તિકા આ તરંગ માધ્યમ પર પણ પ્રાપ્ય છે જેમાં ઘણી બધી માહિતીનો સમાવેશ છે. http://ufw.io/ta *પ્રસ્તાવના – બંધ શબ્દોની પ્રસ્તાવના *ચાલુ પુસ્તિકા – “આગળ શું” એ પ્રશ્નનો જવાબ આપો. *અનુવાદ પુસ્તિકા - અનુવાદ સિદ્ધાંતની મૂળભૂત વાતો અને વ્યવહારુ અનુવાદમાં સમજવામાં મદદ કરે છે.
    *તપાસની પુસ્તિકા – તપાસના મૂળ સિધ્ધાંત અને ઉત્તમ તકનિકનું વર્ણન કરો

  • આળસુ ગપસપ ખંડ - જુથ43 માળખાને ભેગા કરો, તમારા પ્રશ્નોને “#સૂચન પાટિયા તરંગ પર ચોંટાડો” અને તમારા પ્રશ્નનો યોગ્ય જવાબ મેળવો (ગોસ્ઠ્હિ કરો http://ufw.io/team43)

  • મદદનીશ - ઈ મેલ [email protected] તમારા પ્રશ્નો માટે